Chaitra Navratri 2021- નવરાત્રીમાં આ કારણથી ખાવું જોઈ લસણ અને ડુંગળી

મંગળવાર, 13 એપ્રિલ 2021 (15:42 IST)
ચૈત્ર નવરાત્રી વ્રત શરૂ થઈ ગયા છે. નવ દિવસ સુધી ચાલતા નવરાત્રીના પાવન પર્વમાં મા દુર્ગાના નવ રૂપની આરાધના વિધિ વિધાનની સાથે હોય છે. ધાર્મિક માન્યતા છે કે જે ભક્ત સાચા મનથી નવરાત્રી વ્રતનો પાલન કરે છે તેની બધી મનોકામના પૂર્ણ હોય છે. શાસ્ત્રોના નિયમ મુજબ નવરાત્રીમાં સાત્વિક ભોજન ગ્રહણ કરવાની સલાહ આપે છે. નવરાત્રીના સમયે લસન ડુંગળીના સેવનની ના છે. તેના પાછળ વૈજ્ઞાનિક કારણ તો છે જ સાથે પૌરાણિક કથાનો પણ વર્ણન મળે છે. આવો જાણીએ નવરાત્રીના સમયે લસણ ડુંગળી શા માટે નહી ખાવુ જોઈએ. 
 
શા માટે નવરાત્રીમાં નહી ખાવું જોઈએ લસણ અને ડુંગળી? લસણ અને ડુંગળી તામસિક ભોજનની શ્રેણીમાં આવે છે. એટલે તેના સેવનથી મનમાં જૂનૂન, ઉત્તેજના, કામેચછા, અહંકાર, ગુસ્સો જેવા ભાવ આવે છે. 
 
જ્યારે નવરાત્રિ સંયમ, શાંત, બ્રહ્મચર્યનો પાલન કરવું જોઈએ આ કારણે નવરાત્રિમાં લસણ અને ડુંગળીના સેવન નહી કરાય છે. 
પૌરાણિક મહત્વ 
પૌરાણિક કથા મુજબ જ્યારે સમુદ્ર મંથનથી અમૃત મળ્યુ તો મોહિની રૂપ ધારણ કરી ભગવાન વિષ્ણુ જ્યારે દેવતાઓમાં વહેચી રહ્યા હતા ત્યારે સ્વર્ભાન નામનો એક રાક્ષસ દેવ રૂપ ધારણ કરી દેવતાઓની લાઈનમાં બેસી ગયા અને દગાથી અમૃતનો સેવન કરી લીધું હતું. ત્યારે સૂર્ય અને ચંદ્રમાએ તેને જોઈ લીધું અને આ વાત વિષ્ણુજીને જણાવી દીધી. 
 
અમૃતની ટીંપાથી ઉપજ્યા લસણ અને ડુંગળી 
ભગવાન વિષ્ણુને જેમ જ ખબર ઓઅણી તો તેને ગુસ્સામાં રાક્ષસના માથા શરીરથી જુદો કરી દીધું. પણ ત્યારે સુધી રાક્ષસના ગળા સુધી અમૃત પહોંચી ગયુ હતું. તેથી તેનો માથું શરીરથી જુદા થતા પર તે પણ જીવીત રહ્યુ ત્યારે વિષ્ણુજીએ રાક્ષસના માથું શરીરથી જુદો કર્યુ તો અમૃતની કેટલાક ટીંપા જમીન પર પડી ગયા જેનાથી

ડુંગળી અને લસણ ઉપજ્યા. 
માની ગયુ છે તેન અપવિત્ર લસણ અને ડુંગળી અમૃતની ટીંપાથી ઉપજેલા હોવાના કારણે આ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી હોય છે અને રોગોને નષ્ટ કરવામાં સહયક હોય છે પણ તેમાં મળેલ અમૃત રાક્ષસના મુખથી પડ્યુ છે તેથી તેમાં તીવ્ર ગંધ છે. આ કારણે રાક્ષસના મુખથી પડેલા હોવાના કારણે  તેને અપવિત્ર ગણાય છે અને દેવી દેવતાઓના ભોગમાં ઉપયોગ નહી કરાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર