ગુજરાતના દરિયા કિનારે આવેલી આ ગામની જમીન દરિયો ગળી રહ્યો છે, 10 જિલ્લા ધોવાણમાં ડૂબી જવાનો ભય

શુક્રવાર, 20 જાન્યુઆરી 2023 (09:47 IST)
પ્રકૃતિના ચક્રમાં હસ્તક્ષેપ કરતાં માણસને પ્રકૃતિના પ્રકોપનો સામનો કરવો પડે છે. સંશોધકોનું કહેવું છે કે ગુજરાતના દરિયાકાંઠાનો આશરે 110 કિમીનો વિસ્તાર દરિયાની સપાટીમાં વધારો અને આબોહવા પરિવર્તનને કારણે ધોવાણનો સામનો કરી રહ્યો છે. અન્ય એક સંશોધન કહે છે કે ભૂગર્ભજળના વિશાળ જથ્થાને કારણે અમદાવાદ વાર્ષિક 12 થી 25 મીમી ડૂબી રહ્યું છે.
 
ઈસરોના સ્પેસ એપ્લીકેશન સેન્ટરના 2021ના સંશોધન 'શોરલાઈન ચેન્જ એટલાસ ઓફ ઈન્ડિયન કોસ્ટ-ગુજરાત-દીવ અને દમણ' પર સંશોધક રતેશ રામક્રિષ્નન અને અન્ય સંશોધકો દ્વારા કરવામાં આવેલ સંશોધનમાં જાણવા મળ્યું છે કે "ગુજરાતનો 1052 કિમીનો દરિયાકિનારો સ્થિર છે, 110 કિમીનો નાશ થયો છે." એવું પણ કહેવામાં આવ્યું છે કે દરિયાની સપાટીમાં વધારો અને આબોહવા પરિવર્તનને કારણે કાંપ જમા થવાને કારણે ગુજરાત રાજ્યએ 208 હેક્ટર જમીન મેળવી હોવાનો અંદાજ છે.
 
જ્યારે રાજ્યે ધોવાણને કારણે 313 હેક્ટર જમીન ગુમાવી છે. કૃણાલ પટેલ વગેરેના 42 વર્ષના અવલોકનનો બીજો અભ્યાસ જણાવે છે કે સૌથી વધુ દરિયાકાંઠાનું ધોવાણ કચ્છ જિલ્લામાં થયું હતું, જેમાં રાજ્યના 45.9 ટકા દરિયાકિનારાનો નાશ થયો હતો. આ સંશોધન મુજબ, "16 દરિયાકાંઠાના જિલ્લાઓમાં, 10 જિલ્લા ધોવાણથી પીડિત હોવાનું નોંધાયું છે, આનું કારણ દરિયાની સપાટીનું તાપમાન (SST) વધવાનું છે.
 
ઘોઘાની દરિયાઇ દિવાલનું અસ્તિત્વ રહ્યું નથી, તેથી મોટી દરિયાઇ ભરતીમાં દરિયાના પાણી ગામમાં ઘૂસી આવે છે.  સંબંધિત સરકારી વિભાગો અને સરકારમાં અનેક વખત દિવાલ બનાવવા માટે રજૂઆતો કરી છે પરંતુ કોઇને પડી નથી, કોઇ ઘોઘાનો પ્રશ્ન ઉકેલવા માટે કોઇ પગલાં ભરવામાં આવ્યા નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર