ગુજરાતના વધુ ત્રણ સાંસદોને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળતા સમગ્ર ગુજરાતમાં આનંદની લાગણી

બુધવાર, 7 જુલાઈ 2021 (22:42 IST)
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના કેન્દ્રીય મંત્રીમંડળના થયેલા વિસ્તરણમાં ગુજરાતના રાજ્યસભા, લોકસભા સાંસદોની થયેલી નવનિયુક્તિ માટે હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે.  
 
મુખ્યમંત્રીએ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીમંડળના આ વિસ્તરણમાં ગુજરાતના ત્રણ સાંસદોને મંત્રીપદ આપ્યું છે. તે માટે પ્રધાન મંત્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું છે કે મંત્રી પરિષદમાં ગુજરાતના ત્રણ-ત્રણ સાંસદોને સ્થાન મળતા સમગ્ર ગુજરાતમાં આનંદની લાગણી છવાઈ છે.
 
મુખ્યમંત્રીએ હાલના કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રીમાંથી કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે પદોન્નતિ પામેલા મનસુખભાઈ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાને આ નવા પદભારની શુભેચ્છાઓ પાઠવી છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય મંત્રીમંડળના થયેલા આ વિસ્તરણમાં ગુજરાતના લોકસભાના ત્રણ સાંસદઓ દર્શનાબેન જરદોશ (સુરત), દેવુસિંહ ચૌહાણ (ખેડા) અને ર્ડા.મહેન્દ્ર મુંજપરા (સુરેન્દ્રનગર)નો રાજ્યકક્ષાના મંત્રી તરીકે સમાવેશ થવા અંગે પણ અભિનંદન પાઠવ્યા છે.
 
મુખ્યમંત્રીએ આ નવનિયુક્ત મંત્રીઓ ગુજરાતના સર્વગ્રાહી વિકાસમાં પોતાનું યોગદાન અને રાજ્ય સરકારનું માર્ગદર્શન પણ કરતા રહેશે તેવી અપેક્ષા વ્યકત કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર