Surat માં અનોખી પહેલ - વરરાજાને તમાકુનું વ્યસન હોય તો સમૂહલગ્નમાં નોંધણી નહીં થાય

ગુરુવાર, 1 જૂન 2017 (12:36 IST)
બુધવારે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવાયો ત્યારે લોકો નિર્વ્યસની બને તે માટે ઘણાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, સામાજિક જાગૃતિ માટે અગ્રેસર રહેતા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આ વર્ષે તમાકુ નિષેધ દિવસે એક અનોખો અભિગમ શરૂ કરાયો છે. દર વર્ષે સમાજ દ્વારા સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમા વરઘોડો નહીં કાઢનાર દંપત્તિનુ સન્માન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે નવા અભિગમના ભાગરૂપે જે વરરાજાને પાન-માવાનું વ્યસન હશે તો તેનું લગ્નોત્સવમાં રજિસ્ટ્રેશન નહીં કરાશે. વરરજાને પાન-માવાનું વ્યસન ન હોય તો જ સમૂહલગ્નોત્સવમાં લગ્ન નોંધણી થઇ શકશે.  વ્યસન મુક્તિ જાગૃતિ માટે આ નિર્ણય લેવાયો છે.  વરરાજ માટે વ્યસન ન હોય તો જ સમૂહલગ્ન આયોજનમાં નામ નોંધણી થાય તેવી પ્રથમ ઘટના છે.

વેબદુનિયા પર વાંચો