Rajkot News- 27 જુલાઈએ રાજકોટના નવા એરપોર્ટનું કરશે લોકાર્પણ

બુધવાર, 19 જુલાઈ 2023 (09:53 IST)
Rajkot Hirasar Airport- PM મોદી આગામી તારીખ 27 જુલાઈનાં રોજ પોતાના ડ્રિમ પ્રોજેક્ટ એવા હિરાસર ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરે તેવી પૂરતી શક્યતા છે. 
 
PM મોદી આગામી 27 જુલાઈએ ગુજરાતમાં તેમના  ડ્રિમ પ્રોજેક્ટ એવા હિરાસર ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનુ લોકાપર્ણા કરવા ગુજરાતની મુલાકાતે આવવાના છે. પીએમ મોદી તેના બે દિવસના પ્રવાસમાં રાજકોટના એરપોર્ટનું લોકાર્પણ કરશે અને સેમિકોન ઇન્ડિયાની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. જે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે  28 થી 30 જુલાઈ સુધી ચાલશે.
 
પીએમ મોદીના હસ્તે આંતરરાષ્ટ્રીય ગ્રીન ફિલ્ડ એરપોર્ટ ખુલ્લુ મુકવામાં આવશે. આ એરપોર્ટ તૈયાર થતાં જ જામનગર, જૂનાગઢ, ભાવનગર, કચ્છ, મોરબી અને રાજકોટ સહિતના લોકોને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે અમદાવાદ સુધી લાંબા નહીં થવું પડે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર