રાષ્ટ્રપતિ દ્રૌપદી બે દિવસ ગુજરાતની મુલાકાત લેશે

સોમવાર, 11 સપ્ટેમ્બર 2023 (10:39 IST)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તા. 12 અને 13 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાતની મુલાકાત લેશે. આ બે દિવસની મુલાકાતમાં તે લોકાર્પણ અને લોન્ચિંગનાં કાર્યક્રમમાં હાજરી આપશે.

આ ઉપરાંત તે ગુજરાત વિધાનસભાની મુલાકાત લઈને વિધાનસભાને સંબોધિત પણ કરશે.મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ 12 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાત આવશે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રપતિને વિશેષ આમંત્રણ આપીને મુલાકાત માટે નિમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ 13 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાતની E - Assemblyનું લોકાર્પણ કરશે. આ સિવાય રાષ્ટ્રપતિ રાજભવનથી આયુષ્માન ભવ: એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર