માતા પિતાની છત્ર છાયા ગુમાવતા અનાથ બાળકોને માસિક રૂ. 4,000ની સહાય અપાશે

શુક્રવાર, 9 જુલાઈ 2021 (19:39 IST)
મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ  કોરીનામાં માતા પિતાની છત્ર છાયા ગુમાવતા અનાથ અને નિરાધાર બનેલા  બાળકો સાથે ગાંધીનગરમાં યોજાયેલા 'મોકળા મને' સંવાદ કાર્યક્રમમાં   સંવેદનશીલ જાહેરાત કરી  છે
તેમણે આ મહત્વપૂર્ણ  સંવેદનશીલ જાહેરાત કરતા કહ્યું છે કે મુખ્યમંત્રી બાળ સેવા યોજના'  હેઠળ હવે  બાળકો ને 21 વર્ષની વય સુધી  માસિક રૂ. 4,000ની સહાય આપવામાં આવશે .
 
આ યોજનામાં  વય મર્યાદા અગાઉ 18 વર્ષની હતી તે વધારીને હવે 21 વર્ષની કરવામાં આવી છે.
એટલે કે કોરોના માં માતા પિતાનું અવસાન થતા નિરાધાર થયેલા બાળક ની વય 21 વર્ષ થતા સુધી રાજ્ય સરકાર દર મહિને 4000 ની સહાય આવા બાળક ને આપશે 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર