પત્નીએ શરીર સંબંધ બાંધવાની ના પાડતા પતિએ ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત

સોમવાર, 1 જુલાઈ 2019 (16:57 IST)
સુરતમાં એક યુવકે રવિવારે પોતાના ઘરે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. પત્નીએ શરીર સંબધ બાંધવાની ના પાડતા યુવકે આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ત્યારે આ ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
 
સુરતના ડિંડોલી વિસ્તારમાં 30 વર્ષના જયેશે ગઇકાલે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ડિંડોલીના દેલવાડા રોડ પર જયેશ પત્ની અને એક પુત્રી સાથે રહેતો હતો. તે એક કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. જ્યારે રવિવારે જયેશે પોતાના ઘરમાં જ પંખે ચાદર બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
 
પોલીસને આ ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચી પોલીસે પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જયેશનો મૃતદેહ પીએમ અર્થે નજીકની હોસ્પિટલ મોકલી આપઘાત પાછળનું કારણ જાણવા પત્નીની પૂછપરછ કરી હતી. પતિના આપઘાત પાછળનું કારણ પત્નીએ જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
 
આ ઘટના અંગે પોલીસે આપઘાત પાછળનું કારણ જણાવતા કહ્યું કે, તેની પત્નીએ શરીર સંબંધ બાંધવાની ના પાડતા જયેશને માઠું લાગ્યું હતું અને ત્યારબાદ તેણે આપઘાત કરવાનું પગલું ભર્યું હતું. જોકે, પોલીસે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, તેની પત્નીને કોઇ તકલીફ હોવાના કારણે તેણીએ શરીર સંબંધ બાંધવાની ના પાડી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર