નળ સરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય બે દિવસ રહેશે બંધ

બુધવાર, 2 ફેબ્રુઆરી 2022 (19:42 IST)
નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય બંધ 
5 અને 6 ફેબ્રુ.ના રોજ પક્ષી ગણતરી થશે
બંને જગ્યાઓ  મુલાકાતીઓ માટે બંધ 
 
નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્યમાં તારીખ 5 ફેબ્રુઆરી અને 6 ફેબ્રુઆરી 2022 પક્ષીઓની ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. મુલાકાતીઓના અવર જવરથી પક્ષી ગણતરીની કામગીરીમાં ખલેલ ન પહોંચે છે. 
 
આ સંદર્ભે નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્યમાં પ્રવાસીઓ માટે વન્યપ્રાણી સંરક્ષણ ધારા 1972ની કલમ 28 તથા 33થી મળેલ સત્તાથી પ્રવેશબંધી ફરમાવવામાં આવે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર