કોરોનાના ડરથી આત્મહત્યા કરનાર નિવૃત પોલીસકર્મીનો રિપોર્ટ પોઝિટિવ

ગુરુવાર, 22 એપ્રિલ 2021 (08:33 IST)
સુરતના નાનપુરમાં રહેનાર એક નિવૃત વૃદ્ધ પોલીસકર્મીએ કોરોનાના ડરથી ફાંસી લગાવીને આત્મહત્યા કર્યા બાદ પરિવારમાં શોકનો માહોલ છે. એટલું જ નહી, પરંતુ તેમના મૃત્યું બાદ, તેમનો કોરોનાનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતાં આગળની તપાસ ચાલુ છે. મૃતક હરિકિશનભાઇ પોતાના મિત્ર વિજય સાથે કોરોના વેક્સીનનો બીજો ડોઝ લેવા જવાના હતા. જોકે તેમને ખબર પડી માનસિક તણાવના લીધે તેમણે ફાંસી લગાવીને તેમણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. 
 
મૃતક હરકિશનભાઇના જમાઇ વિજય ભગવાગરે કહ્યું કે તે ગત ત્રણ મહિનાથી માનસિક તણાવથી પીડાતા હતા. ચાર પરણિત પુત્રીઓ સમયાંતરે મળવા આવતી હતી અને માતાને પિતાની દેખભાળ કરવાની પણ સલાહ આપી. જોકે તેને અચાનક એવું પગલું ભર્યું.
 
પૂર્વ નગરસેવક વિજય માસ્ટરે કહ્યું કે અમે ખાસ મિત્રો હતા. પહેલાં રસી પણ સાથે લીધી હતી. વેક્સીનનો બીજો ડોઝ લેવા માટે મંગળવારે 4 વાગે નિકળ્યા હતા. તેમનો ફોન આવ્યો તો હું ઘરે પહોંચી ગયો. ભાભીએ પૂછ્યું કે હર કિશન ક્યાં છે. તો તેણે કહ્યું કે અહીં ક્યાંક હશે. મેં જોયું તો મારો મિત્ર એક નાયલોનની દોરી વડે ફાંસી લગાવેલી હાલતમાં હતો. મારી બૂમ સાંભળીને ભાભી અને પડોશીઓ દોડીને ઘટનાસ્થળે પહોંચી ગયા અને પોલીસને સૂચના આપી. 
 
હરકિશનભાઇ પોલીસ કમિશ્નર કાર્યાલયમાં વરિષ્ઠ કલાર્કના રૂપમાં સેવા આપ્યા બાદ નિવૃત થયા હતા. તેમને ચાર પુત્રીઓ હતી અને પોતાની પત્ની સાથે ખુશહાલ જીવન પસાર કરતા હતા. ગત કેટલાક મહિનાથી મને કોરોના થઇ જશે તો શું થશે, એવી ચિંતા કરતા હતા. માનસિક તણાવના કારણે આત્મહત્યા કરનાર મિત્ર હરકિશને પોતાના તમામ મિત્રોને રડતા છોડી ગયા. હું બસ લોકોને અપીલ કરીશ કે આત્મહત્યા કોઇ બિમારીનો ઉપાય નથી. પરંતુ પરિવારને રડતાં અને ઉદાસ છોડવાની કોઇ રીત નથી. મિત્રો સાથે વાત કરીને તમામ તણાવમાંથી મુક્તિ મેળવી શકાય છે. હું પ્રભુને પ્રાર્થના કરીશ કે મારા મિત્રએ જે ભૂલ કરી છે, બીજી કોઇ ભૂલ ન કરે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર