'ભરૂચમાં આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ બનશે' - વડા પ્રધાન મોદી

મંગળવાર, 11 ઑક્ટોબર 2022 (08:17 IST)
ગુજરાતની મુલાકાતે આવેલા વડા પ્રદાન નરેન્દ્ર મોદી સોમવારે ભરૂચમાં આઠ હજાર કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ દેશને સમર્પિત કરવા જઈ રહ્યા છે.
 
તેઓ અમદાવાદમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શિક્ષણસંકુલનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.
 
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં મોદી રવિવારથી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા હતા.
 
સોમવારે ભરૂચ જિલ્લામાં તેઓ જંબુસરમાં બલ્ક ડ્રગ પાર્ટનું અને દહેજમાં એક ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે.
 
તેઓ ભરૂચમાં વિભિન્ન ઔદ્યોગિક પાર્કના વિકાસ માટે ખાતમુહૂર્ત પણ કરશે.
 
અહમદાબાદમાં તેઓ મોદી શૈક્ષણિકસંકુલનું ઉદ્ઘાટન કરશે.
 
વડા પ્રધાન મોદી આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરમાં એક સભાને સંબોધિત કરશે.
 
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂતમાં સભાને સંબોધિત કરતા કહ્યું કે, "ભરૂચ જિલ્લો હવે ઔદ્યોગિક વિકાસની સાથે, "આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ માટે પણ જાણીતું બનશે. આ ઍરપૉર્ટ ગુજરાતમાંથી નિકાસને વધારવમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર