અમદાવાદમાં થલતેજની હોટેલ ઈડનમાં યુવતીએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાધો

ગુરુવાર, 16 જૂન 2022 (11:07 IST)
વિરમગામની એક યુવતીએ થલતેજ ગુરુદ્વારા પાસેની હોટેલ ઈડનના રૂમમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ યુવતીએ અમરાઈવાડીના યુવાન સાથે 2019માં પ્રેમલગ્ન કર્યાં હતાં, પરંતુ બંને અલગ અલગ રહેતાં હતાં.અમરાઈવાડીમાં રહેતા આશિષ દેસાઈ (ઉં.26)એ વિરમગામમાં રહેતી દેવયાની મચ્છર (ઉં.27) સાથે પ્રેમસબંધ હોવાથી તેમણે 24 જુલાઈ 2019એ કોર્ટમાં લગ્ન કરી લીધા હતા.

આશિષના પિતા બળદેવભાઈ દેસાઈ આ લગ્નથી ખુશ ન હોવાથી લગ્ન બાદ આશિષ અને દેવયાની અલગ જ રહેતા હતા. થોડા સમય પહેલા બળદેવભાઈનું કેન્સરની બીમારીના કારણે અવસાન થયું હતું.13 જૂને આશિષ પર તેના સાસુ દીપ્તિબહેનનો ફોન આવ્યો હતો અને તેમણે કહ્યું કે, દેવયાની બુધવારે બપોરે 12 વાગ્યે કોઈને કશું કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ છે. આશિષ થલતેજ ગુરુદ્વારા પાસેની હોટેલ ઇડનમાં પહોંચ્યો હતો અને રિસેપ્શન પર દેવયાનીનો ફોટો બતાવીને પૂછપરછ કરી હતી, જેથી મેનેજરે કહ્યું હતું કે, આ બહેને બપોરે 3.40 વાગ્યે હોટેલમાં ચેક ઈન કર્યું અને તેચોથા માળે આવેલા રૂમમાં રોકાયા છે, તેમ કહેતા મેનેજર અને આશિષભાઈ રૂમમાં ગયા હતા અને દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ દેવયાનીએ દરવાજો ખોલ્યો ન હતો. આથી પોલીસને જાણ કરતા પોલીસે દરવાજો તોડીને જોયું તો દેવયાનીએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસે આત્મહત્યા અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર