સુરત માંગરોળના પૂર્વ MLA રમણભાઈ ચૌધરીનું નિધન, કોંગ્રેસના સક્રિય નેતા હતા

મંગળવાર, 17 જાન્યુઆરી 2023 (00:07 IST)
સુરત માંગરોળના પૂર્વ MLA રમણભાઈ ચૌધરીનું હાર્ટએટેક આવતા નિધન થયું છે. રમણભાઈ કોંગ્રેસના સક્રિય નેતા હતા. હજુ થોડા દિવસો પહેલા જ તેમણે સુરતમાં ખાનગી હોસ્પિટલમાં પથરીનું ઓપરેશન કરાવ્યુ હતું. આજે વહેલી સવારે તેમને હાર્ટએટેક આવતા તેમનું નિધન થયું હતું. તેમની અંતિમ યાત્રા  માંગરોળનાં ઇસનપુર ગામે 1 વાગે નીકળશે.

રમણભાઈ ચૌધરીના રાજકારણની વાત કરીએ તો તેઓ પહેલા રાજપા અને ભારતીય જનતા પાર્ટીમાંથી ચુંટણી લડયા હતા અને જીત્યા પણ હતા. આ બાદ તેઓ પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં જોડાયા હતા. વર્ષ 2007માં તેઓ ચૂંટણીમાં ઉભા રહ્યા હતા જો કે તે ચુંટણીમાં હાર થઈ હતી. આ ઉપરાંત તે પંચાયત મંત્રી પણ રહી ચૂંક્યા છે. તે કોંગ્રેસ પક્ષના સક્રિય નેતા હતા અને બે ટર્મ ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર