વાવાઝોડાના લીધે જિલ્લાના કુલ ૮૪૨ મોબાઇલ ટાવરોમાંથી ૬૪૦ જેટલા બંધ

શનિવાર, 22 મે 2021 (18:41 IST)
અમરેલી જિલ્લામાં તાઉ'તે વાવાઝોડાના લીધે મોબાઈલના ટાવરોને મોટાપાયે નુકસાન થયું છે. જિલ્લા કલેક્ટર આયુષ ઓકએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના હાલ કુલ ૮૪૨ મોબાઇલ ટાવરોમાંથી ૧૧૮ જેટલા ટાવર અતિ નુકસાનના કારણે અને ૫૨૨ જેટલા ટાવર લાઈટ ન હોવાના એમ કુલ મળી ૬૪૦ જેટલા બંધ છે. આ બાબતે સબંધિત સર્વિસ પ્રોવાઇડરો સાથે સંકલન સાધી તાત્કાલિક નેટવર્ક પુનઃસ્થાપિત કરવા તંત્રની ટીમો સતત ખડેપગે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર