AAPની જાહેરાત:વડોદરામાં 16 ઓગસ્ટે તિરંગો પરત આપો અને રિફંડ લઇ જાવ, આ ઝંડાઓને કાશ્મીર બોર્ડર પર ફરકાવીશું

સોમવાર, 15 ઑગસ્ટ 2022 (14:45 IST)
દેશભરમાં ઘર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટીએ લોકોએ ખરીદેલા તિરંગાઓને પરત લઈને રિફંડ આપવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીની જાહેરાત પ્રમાણે 16 ઓગસ્ટે તિરંગો પરત આપો અને રિફંડ લઇ જાવ, આ ઝંડાઓને કાશ્મીર બોર્ડર પર ફરકાવીશું.
 
વડોદરા શહેરમાં જે લોકોએ પૈસા ખર્ચીને તિરંગા લીધા છે અને તેને ફરકાવ્યા બાદ તેઓ સાચવી ન શકે તો 16 ઓગસ્ટે તેને અમે પરત લઇશું અને તેની સામે રિફંડ પણ આપીશું. હાલ આ અભિયાન વડોદરા શહેર પુરતું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર