એયર ઈંડિયા પ્લેન ક્રેશ - દુર્ઘટનાવાળા સ્થાન પરથી 70 તોલા સોનુ, 80000 રૂપિયા અને પ્રત્યક્ષદર્શીએ બતાવ્યુ બીજુ શુ શુ મળ્યુ

મંગળવાર, 17 જૂન 2025 (12:10 IST)
ahmedabad plane crash

 બપોરેના આગ ફેકતા તાપમાં જ્યારે બીજે મેડિકલ કોલેજ ઉપર ઘુમાડાના કાળા વાદળો ઉઠવા લાગ્યા. એયર ઈંડિયાના જહાજના મલબાથી આગની લપેટો ઉઠવા માંડી. ત્યારે કોઈને આ એહસાસ પણ નહોતો કે આ શહેરની સૌથી દર્દનાક ઘટનાઓમાંથી એક બનવાની છે. ચીખ પુકારથી આખુ વિસ્તાર ગુંજી ઉઠ્યુ. આ અફરાતફરી વચ્ચે 56 વર્ષીય રાજુ પટેલે સમય ગુમાવ્યા વગર સાહસ અને માનવતાનો પરિચય આપ્યો. પટેલે ભાવુક થઈને કહ્યુ કે તેમની ટીમની પાસે સ્ટ્રેચર તો નહોતા. પણ તેમણે હિમંત ન હારી. ઘાયલોને ઉઠાવવા માટે સાડીઓ અને ચાદરોની મદદ લીધે. અમારી પાસે જે પણ હતુ અમે તેનો ઉપયોગ કર્યો. અમે ફક્ત એટલુ જાણતા હતા કે જીવ બચાવવાનો છે. તેમણે એ પણ જણાવ્યુ કે બળેલી જમીન પર ફેલાયેલો સામાન, સળગતી બેગ અને તૂટેલી ફૂટેલી વસ્તુઓ વચ્ચે તેમણે 70 તોલા સોનાના ઘરેણા, 80,000 રૂપિયા રોકડ અનેક પાસપોર્ટ અને એક ભગવદ ગીતા જપ્ત કરી. આ બધી વસ્તુઓ તરત  પોલીસને સોંપી દીધી. 

 
દુઘટના પછી ઘટનાસ્થળ પર પહોચ્યા 
ઉલ્લેખનીય છે કે રાજુ પટેલ એક બાંધકામના વ્યવસાયી છે. તેઓ દુર્ઘટના સ્થળ પરથી થોડેક જ દૂર હતા. જેવુ જ તેમણે એયર ઈંડિયાની ફ્લાઈટ   AI 171 ના દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર મળ્યા તેઓ પોતાની ટીમ સાથે તરત ઘટનાસ્થળ પર દોડી ગયા. માત્ર પાંચ મિનિટમાં તેઓ ત્યા પહોચી ગયા. શરૂઆતના 15 થી 20 મિનિટ અમે કાટમાળ પાસે ન જઈ શક્યા. પટેલે જણાવ્યુ કે આગ ખૂબ ભયાનક હતી. પણ જેવા જ પહેલી ફાયર બિગ્રેડ અને 108 એમ્બુલેંસ ઘટનાસ્થળ પર પહોચી અમે બચાવ કાર્યમાં કૂદી પડ્યા.  રાત્રે 9 વાગ્યા સુધી મદદ કરતા રહ્યા
 
અધિકારીઓએ પટેલ અને તેમની ટીમને રાત્રે 9 વાગ્યા સુધી સ્થળ પર રહેવાની મંજૂરી આપી. જ્યારે ઇમરજન્સી સેવાઓએ કાબુ મેળવ્યો, ત્યારે પટેલની ટીમે કાટમાળ શોધવાનું શરૂ કર્યું. પટેલે કહ્યું કે આ સમય દરમિયાન તેમને ત્યાં ઘણી બધી વસ્તુઓ પણ મળી, જે તાત્કાલિક પોલીસને સોંપવામાં આવી. રાજુ પટેલે અગાઉ પણ આપત્તિ સમયે લોકોને મદદ કરી છે. તેમણે 2008ના અમદાવાદ શ્રેણીબદ્ધ વિસ્ફોટો દરમિયાન રાહત કાર્યમાં પણ ભાગ લીધો હતો. તે ભયાનક ઘટનાને યાદ કરતાં તેમણે કહ્યું કે જ્યારે બોમ્બ વિસ્ફોટ થયો ત્યારે હું સિવિલ હોસ્પિટલથી માત્ર 100 મીટર દૂર હતો. પરંતુ આ વખતે વિનાશ... આ આગ... હું તેને ક્યારેય ભૂલીશ નહીં.
 
લોકો રાજુ પટેલને ગણાવ્યો  'રિયલ હીરો'
પટેલના સાહસિક પગલાથી સાબિત થયું કે જ્યારે બધે અરાજકતા હોય છે, ત્યારે પણ કેટલાક લોકો નિઃસ્વાર્થપણે બીજાઓને મદદ કરવા આગળ આવે છે. અમદાવાદે ફરી એકવાર બતાવ્યું છે કે આજે પણ માનવતા જીવંત છે. રાજુ પટેલ અને તેમની ટીમની આ પહેલને સોશિયલ મીડિયા પર સામાન્ય લોકો દ્વારા 'રિયલ  હીરો' કહીને વખાણવામાં આવી રહી છે. ઘણી નાગરિક સંસ્થાઓએ પણ તેમના યોગદાનની પ્રશંસા કરી છે અને ભવિષ્યમાં તેમને કટોકટી સેવાઓમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રવિવારે જણાવ્યું હતું કે તમામ પુનઃપ્રાપ્ત અંગત વસ્તુઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવી રહ્યું છે અને તે મૃતકોના પરિવારોને સોંપવામાં આવશે. તેમણે પટેલ જેવા નાગરિકોની પ્રશંસા કરી અને કહ્યું કે આવી કટોકટીની પરિસ્થિતિઓમાં નાગરિકોની ભૂમિકા અમૂલ્ય છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર