તક્ષશિલાકાંડને 4 વર્ષ: એ દર્દનાક દૃશ્યો

બુધવાર, 24 મે 2023 (14:28 IST)
તક્ષશિલા અગ્નિકાંડને 4 વર્ષ પૂર્ણ  સુરતમાં 22 માસૂમોને ભરખી જનાર અગ્નિકાંડના 14 આરોપીઓ જામીન પર, 
આજથી ચાર વર્ષ પહેલાં 24 મે, 2019ના રોજ, સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળી હતી. તેમાં 22 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં. આ અગ્નિકાંડને આજે 4 વર્ષ પૂર્ણ થયાં છે ત્યારે આ આખા અગ્નિકાંડમાં હજુ પણ વાલીઓને ન્યાય મળ્યો  નથી. આ કેસના 14 આરોપીઓ પણ જામીન પર જેલમુક્ત થઈ ગયા છે. જોકે, હવે સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ થતાં વાલીઓને ઝડપથી ન્યાય મળે તેવી અપેક્ષા છે


 ગુજરાતને આજે પણ યાદ છે એ દર્દનાક દૃશ્યો .. વેબદુનિયા પરિવાર આ માસુમ બાળકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે.. ઈશ્વર બાળકોના પરિવારને શક્તિ આપે. 

Takshashila fire

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર