વક્ફ કાયદા પર SC નો આવ્યો નિર્ણય, કાયદાની એક જોગવાઈ પર લગાવી રોક, કહ્યુ - સમગ્ર કાયદા પર સ્ટેનો કોઈ આધાર નથી

સોમવાર, 15 સપ્ટેમ્બર 2025 (10:57 IST)
સુપ્રીમ કોર્ટે વકફ સુધારા બિલ પર પોતાનો વચગાળાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે વકફ કાયદાની કેટલીક જોગવાઈઓ પર સ્ટે મૂક્યો છે. આ સાથે, કોર્ટે કહ્યું છે કે સમગ્ર કાયદા પર સ્ટે મૂકવાનો કોઈ આધાર નથી. વક્ફ કાયદામાં જણાવાયું છે કે કોઈ મિલકતને વક્ફ જાહેર કરવા માટે, તે વ્યક્તિ 5 વર્ષથી ઇસ્લામનું પાલન કરતી હોય તે જરૂરી છે. કોર્ટે આ જોગવાઈ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે, કેટલીક અન્ય જોગવાઈઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જોગવાઈ ત્યાં સુધી સ્થગિત રહેશે. જ્યાં સુધી રાજ્ય સરકારો કોઈ વ્યક્તિ ઇસ્લામનો અનુયાયી છે કે નહીં તે નક્કી કરવા માટે નિયમો ન બનાવે.
 
આ પહેલા 22 મેના રોજ, સતત ત્રણ દિવસની સુનાવણી બાદ, કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. છેલ્લી સુનાવણીમાં, અરજદારોએ કહ્યું હતું કે આ કાયદો મુસ્લિમોના અધિકારોની વિરુદ્ધ છે અને વચગાળાના સ્ટેની માંગ કરી હતી. તેમજ, કેન્દ્ર સરકારે કાયદાની તરફેણમાં દલીલો રજૂ કરી હતી.
 
આ ચર્ચા સરકારના આ દલીલની આસપાસ રહી હતી કે વક્ફ એક ઇસ્લામિક ખ્યાલ છે, પરંતુ તે ધર્મનો આવશ્યક ભાગ નથી. તેથી, તે મૂળભૂત અધિકાર નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર