એમપીના જનજાતિ કાર્યમંત્રી વિજય શાહે કહ્યું કે, "તાજેતરમાં મારા એક નિવેદનના કારણે સમાજના લાગણી દુભાઈ છે. તેમના માટે હું દિલથી શરમ અનુભવું છું, દુખી છું અને માફી માગું છું."
તેમણે કહ્યું કે, "તેઓ અમારાં સગાં બહેન કરતાં પણ વધુ સન્માનનીય છે."
વિજય શાહે કહ્યું કે, "તાજેતરના ભાષણમાં મારી ઇચ્છા હતી કે કર્નલ સોફિયાની વાતને સારી રીતે સમાજ વચ્ચે રાખી શકું. પરંતુ 'દુખી અને વિચલિત' મને કેટલાક ખરાબ શબ્દો નીકળી ગયા."