ભારત પાણી બંધ કરશે તો લોહીની નદીઓ વહેશે, ગભરાયેલા પાકિસ્તાને આતંકવાદી નેતા હાફિઝ સઈદનો જૂનો વીડિયો કર્યો વાયરલ

ગુરુવાર, 24 એપ્રિલ 2025 (15:20 IST)
Terrorist leader Hafiz Saeeds threat to India: કુખ્યાત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક અને હાલમાં જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ મોહમ્મદ સઈદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે કહ્યું છે કે જો ભારત સિંધુ નદીનું પાણી રોકશે તો નદીમાં લોહી વહેશે. હાફિઝ મુંબઈ 26/11 હુમલાનો માસ્ટરમાઇન્ડ પણ છે. ઉલ્લેખનીય છે કે ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે.

"मोदी अगर तूने पाकिस्तान का पानी रोका

तो हम तुम्हारी जुबान खींच लेंगे

मोदी अगर तूने पाकिस्तान का पानी रोका,

तो हम तेरी सांस बंद करेंगे

और कश्मीर की दरियाओं में खून बहेगा"

अब हाफ़िज़ सईद कभी भारत को धमकी नहीं दे सकेगा! pic.twitter.com/YFlSxFRRgm

— Panchjanya (@epanchjanya) April 23, 2025


ALSO READ: Pahalgam Attack આતંકવાદીઓ વિશે માહિતી આપનારને ઈનામની જાહેરાત
જો કે હાફિઝનો આ વીડિયો જૂનો છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આ વીડિયો દ્વારા ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહી છે. હકીકતમાં, થોડા વર્ષો પહેલા પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિને લઈને વિવાદ થયો હતો. કદાચ આ વીડિયો તે સમયનો છે.

ALSO READ: Pahalgam terror attack - પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનીઓને વિઝા છૂટ્ બંધ, જાણો શું છે સાર્ક વિઝા યોજના ?
કોણ છે હાફિઝ સઈદઃ હાફિઝ સઈદ કુખ્યાત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સ્થાપક છે અને હાલમાં જમાત-ઉદ-દાવા નામના સંગઠનનો વડા છે. 26/11ના હુમલાનો માસ્ટરમાઈન્ડ સઈદ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર