30 નવેમ્બર પછી ગરીબોને નિઃશુલ્ક રાશન નહીં મળે, PM ગરીબ કલ્યાણ યોજનાનો સમય નહીં વધે

શનિવાર, 6 નવેમ્બર 2021 (12:56 IST)
વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKY) અંતર્ગત ગરીબોને નવેમ્બર પછી નિઃશુલ્ક રાશન મળવું મુશ્કેલ બની જશે. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ શુક્રવારે કહ્યું કે આ સ્કીમ અંતર્ગત નવેમ્બર પછી ગરીબોને રાશન આપવાનો હાલ કોઈ જ પ્રસ્તાવ નથી.
 
PM ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 2020 માર્ચમાં શરૂ કરાઈ હતી. શરૂઆતમાં આ યોજના એપ્રિલથી જૂન 2020 સુધી માટે હતી. જે બાદ તેને વધારવામાં આવી અને નવેમ્બર 2021 સુધી તેને લાગુ કરવામાં આવી. ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 80 કરોડ લોકોને 5 કિલો ઘઉં કે ચોખાની સાથે એક કિલો ચણા દર મહિને આપવામાં આવે છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર