જો નહી કર્યું 30 જૂન સુધી આ કામ તો રદ્દ થઈ શકે છે પેન કાર્ડ, 5 હજારનો દંડ

શુક્રવાર, 29 જૂન 2018 (17:52 IST)
જો તમે તમારા પેન કાર્ડને 30 જૂન સુધી આધાર સાથે લિંક નથી કરાયુ તો પછી આ રદ્દ થઈ જશે. તેની સાથે જ તમને 5 હજારનો દંડ પણ આપવું પડશે. તેની સાથે જ 31 જુલાઈ સુધી આયકર રિટર્ન ભરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવું પડશે. આયકર વિભાગએ અત્યારે તેની ડેડલાઈન વધારવાની ના પાડી દીધું છે. 
 
પીએમએલએ કાનૂન -આધાર લિંક કરાવવું જરૂરી છે.. 
કેંદ્ર સરકારએ મની લાંડ્રિગ પીએમએલએ કાનૂન લીધે બેંક અકાઉંટ, પેન કાર્ડને આધારથી લિંક કરાવવા માટે અત્યારે 30 જૂન સુધીની ડેડલાઈન આપી છે. જો કેંદ્ર સરકાર આધારને બેંક અને બીજા અકાઉંટ્સથી લિંક કરાવવાની તારીખ આગળ વધારે છે, તો તેનાથી કરોડો લોકોને રાહત મળશે. જેના આધાર કાર્ડ નથી બન્યા છે. 
                                                                               આગળના પાન પર  જાણો કેવી રીતે લિંક કરવું છે... 

પ્રથમ આવકવેરા વિભાગના ઇ-ફાઇલિંગ વેબસાઇટ (www.incometaxindiaefiling.gov.in) પર જાઓ. ડાબી બાજુ પર લાલ લિંક 'લિંક આધાર' પર ક્લિક કરો.
જો તમારું એકાઉન્ટ બનાવ્યું ન હોય તો તે રજિસ્ટર કરો.
એકવાર તમે લોગ ઇન થઈ ગયા પછી પૃષ્ઠ ખુલશે, ઉપરની બ્લુ પટ્ટી પર પ્રોફાઇલ સેટિંગ્સ પસંદ કરો.
પ્રોફાઇલ સેટિંગ્સમાં તમે આધાર કાર્ડને જોડવાનો વિકલ્પ જોશો. આ પસંદ કરો.
અહીં આપેલ વિભાગમાં તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ ભરો.
માહિતી ભર્યા પછી, નીચે બતાવેલ 'લિંકના આધારે' વિકલ્પ પર ક્લિક કરો.
 
એસએમએસ મારફતે પણ લિંક કરી શકે છે
એસએમએસ સેવાનો ઉપયોગ કરીને તમે તમારા પૅનમાંથી આધારને લિંક કરી શકો છો. ઇન્કમ ટેક્સ વિભાગએ જાણ કરી છે કે આધાર 567678 અથવા 56161 પર એસએમએસ મોકલીને પાન સાથે લિંક કરી શકાય છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર