હવે મહારાષ્ટ્ર નહી દિલ્હી બની રહ્યો હૉટસ્પૉટ મળ્યા 40 % કેસ સંક્રમણ દર પણ વધી

મંગળવાર, 19 એપ્રિલ 2022 (12:35 IST)
ભારતમાં સોમવારે કોરોના વાયરસ સંક્રમણના 1247 નવા કેસ સામે આવ્યા છે. રવિવાર કરતા ઓછા થયેલા દર્દીઓએ રાહત તો આપી છે પણ દિલ્હીના આંકડાઓ ચિંતાઓ વધારી નાખી છે. રાજધાનીમાં એક દિવસમાં કોવિડ 19ના 501 નવા દર્દીઓ મળ્યા છે. આ કુળ કેસના આશરે 40 ટકા છે તેમજ સૌથી વધારે પ્રભાવિત રહ્યા મહારાષ્ટ્રમાં 59 દર્દીઓ મળ્યા છે. 
 
દિલ્હીના દર્દીઓની સંખ્યાના સિવાય દિલ્હીમાં સંક્રમણ દર પણ ચિંતાનો કારણ બની છે. દિલ્હીમા કોવિડ 19 સંક્રમણ દર સોમવારે વધીને 7.72 ટકા થઈ ગઈ છે. જ્યારે રવિવારે આ આંકડો 4.21 ટકા પર હતો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર