યુપીના બુલંદશહરમાં સિલિન્ડર વિસ્ફોટને કારણે મોટી દુર્ઘટના, 6 લોકોના મોત, ઘર ધરાશાયી

મંગળવાર, 22 ઑક્ટોબર 2024 (09:10 IST)
UP Bulandshaher- ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં તેમના ઘરમાં સિલિન્ડર વિસ્ફોટને કારણે ત્રણ મહિલાઓ સહિત છ લોકોના મોત થયા છે. બ્લાસ્ટમાં ઘર પણ ધરાશાયી થઈ ગયું હતું. માહિતી મળતાની સાથે જ એસપી સિટી, એસડીએમ સીઓ અને ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કાર્યમાં લાગેલા છે.

જેસીબીની મદદથી કાટમાળ હટાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અકસ્માત આશાપુરી કોલોની, ગુલાવતી રોડ, સિકંદરાબાદમાં થયો હતો.
 
કહેવામાં આવી રહ્યું છે કે ઘરમાં 17 થી 18 લોકોનો પરિવાર રહેતો હતો. જેમાંથી આઠ ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર