- આ ટ્રેનની સ્પીડ 160 કિલોમીટર પ્રતિ કલાક છે.
- સામાન્ય લોકો 19 જાન્યુઆરીથી આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. રેલ મંત્રીએ આ માહિતી ટ્વિટર પર આપી છે.
- આ બીજી પ્રાઈવેટ/કોર્પોરેટ ટ્રેન છે.
- આ ટ્રેનની ટિકિટનુ બુકિંગ ફક્ત ઓનલઈન જ થશે. આઈઆરસીટીસીની વેબસાઈટ અને તેના ઓનલાઈન ભાગીદાર પેટીએમ, ફોન પે, મેક માય ટ્રિપ, ગૂગલ, આઈબીબો, રેલ યાત્રી વગેરે એપના માધ્યાથી બુક કરી શકાય છે. રેલવે કાઉંટરો પરથી આ ટિકિટનુ બુકિંગ નહી થઈ શકે.
- અમદાવાદથી સવારે 6.40 વાગ્યે ચાલશે અને બપોરે 1.10 વાગ્યે મુંબઈ પહોંચશે. આ દરમિયાન આ વચ્ચે નાંદેડ, વડોદરા, ભરૂચ, સૂરત, વાપી અને બોલીવલીમાં રોકાશે. પાછી ફરતી વખતે તે મુંબઈથી બપોરે 3.40 વાગ્યે નીકળશે અને અમદાવાદ રાત્રે 9.55 વાગ્યે પહોંચશે.
- આ ટ્રેનમાં વિદેશી પર્યટકો માટે 18 સીટો રિઝર્વ રહેશે.
- આ ટ્રેન 1 કલાકથી વધુ મોડી પડે તો પેસેન્જર દીઠ રૂ.100 અને 2 કલાકથી વધુ મોડી પડે તો પેસેન્જર દીઠ રૂ.250 વળતર ચૂકવવામાં આવશે.