8 ઓગસ્ટથી અત્યાર સુધીમાં 325 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં મુશળધાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર થઈ છે અને શહેરો તેમજ ગામડાઓમાં અને ખેતરોમાં નદીઓનાં પાણી ફરી વળ્યા છે. રાજ્યનાં 2,23,139થી વધુ લોકો ઘરબાર વિનાના થઈ ગયા છે અને 1567 રાહત કેમ્પોમાં આશરો લઈ રહ્યા છે. જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે.
સરકારી ટેલીકોમ કંપની BSNL અને રિલાયંસ જિયોએ પૂર પ્રભાવિત કેરલને પોતાના ગ્રાહકોને ફ્રી કોલિંગની સુવિદ્યા આપી છે. ભારતીય એયરટેલ, વોડાફોન અને આઈડિયા સેલ્યુલરે પોતાના પ્રીપેડ ગ્રાહકોને સીમિત સંખ્યામાં મફત કોલિંગ સુવિદ્યા આપી છે.