આનંદીબેનના નિવેદન પર જશોદાબેનનો પલટવાર - હું મોદીની પત્ની અને તેઓ મારા રામ

ગુરુવાર, 21 જૂન 2018 (17:50 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિત્યક્તા પત્ની જશોદબેન બુધવારે મધ્યપ્રદેશની રાજ્યપાલ આનંદીબેન પટેલના ગુજરાતના એક મુખ્ય દૈનિકમાં મોદીને અવિવાહિત બતાવવાના નિવેદન પર નવાઈ લાગી.  જશોદાબેને પોતાના ભાઈના મોબાઈલ ફોન પરથી એક વીડિયોમાં કહ્યુ છે, હુ આનંદીબેન દ્વારા પ્રેસને નરેન્દ્રભાઈનુ લગ્ન ન થવાની વાતથી હેરાન છુ. તેમણે પોતે લોકસભા ચૂંટણી દરમિયાન 2014માં પોતાના દસ્તાવેજ દાખલ કરતા આને પોતાની જાહેરાતમાં સામેલ કર્યુ છે કે તેઓ વિવાહિત છે અને તેમા મારા નામનો ઉલ્લેખ છે. 
 
જશોદાબેને કહ્યુ - એક સુશિક્ષિત મહિલા દ્વારા એક શિક્ષક વિશે આ રીતે બોલવુ ખૂબ જ અશોભનીય છે. ફક્ત એટલુ જ નહી તેમના આચરણે ભારતના પ્રધાનમંત્રીની છબિને ખરાબ કરી છે. તેઓ મારે માટે ખૂબ જ સન્માનીય છે.  તેઓ મારા રામ છે. ઉત્તર ગુજરાતના પોતાના ગૃહનગર ઊંઝાથી વાતચીતમાં  જશોદબેનના ભાઈ અશોક મોદીએ આ વાતની ચોખવટ કરી કે વીડિયોમાં જશોદાબેન વાત કરી રહી છે.
 
તેમણે કહ્યુ જ્યારે આનંદીબેનનુ નિવેદન સોશિયલ મીડિયા પર આવ્યુ તો મને વિશ્વાસ ન થયો પન આ 19 જૂનના મુખ્ય છાપામાં આવ્યુ. આ ખોટુ તો નથી હોઈ શકતુ.  તેથી હુ જવાબ આપવાનો નિર્ણય કર્યો.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર