'શ્રી રાધે માં ચેરીટેબલ ટ્રસ્ટ' દ્વારા 'ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ'

સોમવાર, 27 ફેબ્રુઆરી 2023 (12:54 IST)
રાધે માંના જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ 'શ્રી રાધે માં ચેરીટેબલ ટ્રસ્ટ' દ્વારા વિવિધ પ્રકારના સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

3 માર્ચ, 2023 ના રોજ, જરૂરિયાતમંદો માટે 'અનાજ વિતરણ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત લોકોને મફત અનાજ અને પંખાનું વિતરણ કરવામાં આવશે.  જેના માટે 15 થી 20 ફેબ્રુઆરી સુધી શ્રીરામ ટ્રેડ સેન્ટર ગ્રાઉન્ડ ફ્લોર,   SVP રોડ, ચામુંડા સર્કલ પાસે, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-92 ખાતે સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી આધાર કાર્ડ સાથે નોંધણી કરાવવી જરૂરી છે. અને 3 માર્ચે જ 'મેડિકલ અને હેલ્થ ચેકઅપ કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં તપાસ બાદ જરૂરિયાતમંદ અને ગરીબોને મફત દવાઓ અને ચશ્માનું વિતરણ કરવામાં આવશે અને આંખને લગતા ઓપરેશનની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર