દેશમાં કોરોના ઘટવા લાગ્યો? સતત ત્રીજા દિવસે નવા કેસ કરતાં વધુ રિકવરી, 3 લાખ લોકોએ વાયરસને માત આપી

ગુરુવાર, 27 જાન્યુઆરી 2022 (09:38 IST)
ભારતમાં કોરોનાના ત્રીજા મોજાના સંકેતો દેખાવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2.86 લાખથી વધુ કેસ નોંધાયા છે, પરંતુ રિકવરી તેના કરતા વધુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ લાખથી વધુ લોકોએ કોરોના મહામારીને માત આપી છે. તમને જણાવી દઈએ કે હવે દેશમાં સક્રિય કેસ 22 લાખની નજીક છે.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,06,357 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે, અત્યાર સુધીમાં સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 3,76,77,328 થઈ ગઈ છે. રિકવરી રેટની વાત કરીએ તો તે 93.33 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 2,86,384 નવા કેસ નોંધાયા છે. દૈનિક હકારાત્મકતા દર 17.75 ટકા હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર