PM Modi Birthday- PM મોદીના જન્મદિવસ પર કેન્દ્ર સરકારની મોટી ભેટ, 'આયુષ્માન ભાવ' લોન્ચ થશે

રવિવાર, 17 સપ્ટેમ્બર 2023 (09:47 IST)
કેન્દ્ર સરકાર આ વર્ષે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે આયુષ્માન ભાવ કાર્યક્રમ શરૂ કરશે. જેથી કરીને સરકાર દ્વારા ચલાવવામાં આવતી તમામ આરોગ્ય યોજનાઓ છેલ્લા માઈલના લોકો અને દરેક લાભાર્થી સુધી પહોંચાડી શકાય.
 
કાર્યક્રમની મદદથી તે કેન્દ્ર દ્વારા સંચાલિત તમામ આરોગ્ય સેવાઓને ભારતના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ કરશે. આ યોજનાની માહિતી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આપી છે. માંડવીયાએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં તેઓ લોકોની સુવિધા માટે કામ કરશે અને લોકોને સેવાઓ આપવાનું કામ કરશે.
 
PM મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે છે. કેન્દ્ર તેને મોટા પાયે લાગુ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ માટે કેન્દ્ર સરકાર આયુષ્માન ભવ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહી છે. આ કાર્યક્રમ દ્વારા કેન્દ્ર દ્વારા સંચાલિત તમામ આરોગ્ય સેવાઓ દેશના છેવાડાના છેવાડે બેઠેલા વ્યક્તિ સુધી પહોંચવાની હોય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર