જમ્મુ-કાશ્મીરની શ્રીનગર લોકસભાની પેટાચૂંટણીમાં માત્ર 6,5 ટકા મતદાન, હિંસક ઘટનામાં છ લોકોના મોત

સોમવાર, 10 એપ્રિલ 2017 (00:21 IST)
શ્રીનગર લોકસભાની બેઠક માટે આજે યોજાયેલા મતદાનમાં સાવ ઓછું મતદાન થયું હતું શ્રીનગર સંસદીય બેઠક માટે માત્ર 6.5 ટકા જ મતદાન થયું છે. બીજી તરફ  હિંસક ઘટનાઓમાં છ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 150 સુરક્ષા જવાનો સહિત 200થી વધારે લોકોને ઈજા થઈ છે,  આ ઉપરાંત 18 જેટલા ઈવીએમની લૂંટ પણ ચલાવવામાં આવી છે અને 24 કરતાં વધારે વાહનોને આગ ચાંપવામાં આવી છે.
 
વિધાનસભાની 10 બેઠકોમાં દિલ્હીની રાજોરી ગાર્ડન, કર્ણાકટની નજનગઢ અને ગુંડલૂપેટ, આસામની ધેમાજી, હિમાચલ પ્રદેશની ભોરંજ, મધ્ય પ્રદેશની બાંધાવગઢ અને એટેર, પશ્ચિમ બંગાળની કાંઠી, રાજસ્થાનની ધોલાપુર તથા ઝારખંડની લિટ્ટીપટ્ટાનો સમાવેશ થાય છે. જ્યારે જમ્મુ-કાશ્મીરની શ્રીનગર લોકસભા બેઠક માટે પણ મતદાન યોજાયું હતું.

વેબદુનિયા પર વાંચો