બાળકચોર સમજી સાધુઓ સાથે મારપીટ

બુધવાર, 14 સપ્ટેમ્બર 2022 (12:10 IST)
મહારાષ્ટ્રના સાંગલીમાં એક ગામના લોકોએ 'બાળ ચોરી'નો આરોપ લગાવીને સાધુ સાથે મારપીટ કરી. આ ઘટના મંગળવારની છે. પોલીસના જણાવ્યા અનુસાર ચાર સાધુઓ ઉત્તર પ્રદેશના મથુરાના રહેવાસી છે અને એક કર્ણાટકના બીઝાપુરથી પંઢરપુર દર્શન માટે જઈ રહ્યા હતા. પોલીસે કહ્યું કે, સાધુઓએ આ મામલે કોઈ ફરિયાદ નોંધાવી નથી, એટલા માટે કોઈ FIR કરાઈ નથી.
 
ઉત્તર પ્રદેશના રહેવાસી ચાર સાધુ એક કારમાં કર્ણાટકના બીઝાપુરથી મંદિર શહેર પંઢરપુર તરફ જઈ રહ્યા હતા. સોમવારે ગામના એક મંદિરમાં તેઓ રોકાયા હતા. તેમને ગાડીમાંથી ઉતારીને સાધુઓ પર લાઠીચાર્જ કર્યો હતો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર