અયોધ્યામાં ભવ્ય દિવાળી મનાવવાની શરૂઆત, આજે 12 લાખ દિવા પ્રગટાવીને બનશે રેકૉર્ડ

બુધવાર, 3 નવેમ્બર 2021 (11:22 IST)
યુપીની યોગી સરકાર આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય દિપોત્સવનું આયોજન કરવા જઇ રહી છે. 
 
અયોધ્યા મંદિર આજે 12 લાખ દિવાઓથી ઝળહળી ઉઠશે. આ દિવડાઓ પ્રજવલિત કરવા 36 હજાર લીટર તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે..દિપ પ્રજવલિત કરવા લાખની સંખ્યામાં વિદ્યાર્થીઓએ વોલિયેન્ટર તરીકે કાર્યકરી રહ્યાં છે. અયોધ્યામાં ભગવાન રામની ભવ્ય પાલખી યાત્રા પણ નીકળશે. 
 
આ દિપોત્સવમાં મુખ્ય અતિથિ કિશન રેડ્ડી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ રાજ્યપાલ સહિતના અગ્રણીઓ બપોરના 2:40 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા રામકથા પાર્ક ખાતે હેલિપેડ પર ઉતરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર