ભગવંત માનના ઘરે પુત્રીનો જન્મ થયો

ગુરુવાર, 28 માર્ચ 2024 (12:58 IST)
Bhagwant Maan- પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઘરે પુત્રીનો જન્મ થયો છે. તેણે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. ભગવંત માને ટ્વીટ કરીને કહ્યું કે, ‘ભગવાને મને એક દીકરીના આશિર્વાદ આપ્યા છે. માતા અને બાળક બંને સ્વસ્થ છે
 
તેમની પત્ની ડો.ગુરપ્રીત કૌરે પુત્રીને જન્મ આપ્યો છે. 
 
પંજાબના સીએમએ કહ્યું કે ભગવાને અમને દીકરીની ભેટ આપી છે. તેમણે કહ્યું કે માતા અને બાળક બંને સ્વસ્થ છે. તેમના બીજા લગ્ન ગુરપ્રીત કૌર સાથે થયા છે, જેનાથી તેમના પ્રથમ સંતાન, એક પુત્રીનો જન્મ થયો છે. ભગવંત માને બે વર્ષ પહેલા ગુરપ્રીત કૌર સાથે બીજા લગ્ન કર્યા હતા. તેના પહેલા લગ્નથી તેને બે બાળકો છે. બંને હવે તેમની માતા સાથે અમેરિકામાં રહેવા લાગ્યા છે.

Edited By-Monica sahu 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર