કેવી રીતે થયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, રોડવેઝની બસ જયપુરથી અજમેર જઈ રહી હતી. આ બસ પાસે બીજી લેનમાં ઈકો કાર દોડી રહી હતી. દરમિયાન અચાનક રોડવેઝની બસનું ટાયર ફાટતાં રોડવેઝની બસ ઈકો કાર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ઈકો કારમાં મુસાફરી કરી રહેલા 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.