આજે સવારે પીએમ મોદી જ્યારે વારાણસીના અસ્સી ઘાટ પર પહોંચ્યા તો ત્યા પાંચ વૈદિક બ્રાહ્મણ તેમની રાહ જોઈ રહ્યા હતા. તેમણે ગંગાની વિધિપૂર્વક પૂજા અર્ચના કરી. પૂજા કર્યા પછી મોદીએ પોતાના હાથમાં પાવડો ઉઠાવ્યો અને ઘાટની સફાઈ કરવામાં લાગી ગયા. મોદી સાથે કેટલાક બીજા લોકો પણ હતા જે આ કામમાં તેમની મદદ કરી રહ્યા હતા.