RCB ટીમને સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચ હાર્યા બાદ મોટો ફટકો પડ્યો છે, કારણ કે તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી શકી નથી. જો તે મેચ જીતી ગઈ હોત, તો તે ટોચનું સ્થાન પ્રાપ્ત કરી શકી હોત, પરંતુ તે થઈ શક્યું નહીં. RCB માટેની મેચમાં, કેપ્ટન જીતેશ શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 231 રન બનાવ્યા. આ પછી, RCB ટીમ ફક્ત 189 રન જ બનાવી શકી.
કોહલી અને સોલ્ટ આઉટ થતાં જ આરસીબીની બેટિંગ લાઈન વિખરાય ગઈ
આરસીબી ટીમને વિરાટ કોહલી અને ફિલ સોલ્ટે સારી શરૂઆત અપાવી. બંનેએ પ્રથમ વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી. પરંતુ બંને આઉટ થતાં જ RCBની બેટિંગ ભાંગી પડી. ફિલ સોલ્ટે 62 રન અને વિરાટ કોહલીએ 43 રન બનાવ્યા. ઇમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતરેલા રજત પાટીદાર પ્રભાવ પાડવામાં ખરાબ રીતે નિષ્ફળ ગયા અને ફક્ત 18 રન જ બનાવી શક્યા. જીતેશ શર્મા પણ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો અને માત્ર 24 રન બનાવીને આઉટ થયો.
લાંબા સમય પછી ટીમમાં વાપસી કરનાર મયંક અગ્રવાલ પણ સારો દેખાવ કરી શક્યો નહીં. તેણે 11 રન બનાવ્યા. રોમારિયો શેફર્ડ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહીં. સનરાઇઝર્સ માટે પેટ કમિન્સે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી છે. 19.5 ઓવર પછી, આખી આરસીબી ટીમ ફક્ત 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને 20 ઓવર પણ રમી શકી નહીં.