આ 5 ટિપ્સ આરોગ્ય માટે અજમાવી જુઓ

ગુરુવાર, 30 નવેમ્બર 2017 (20:40 IST)
* રોજ સવારમાં લીમડાના 10 પાન ચાવીને ખાવાથી ડાયાબિટીશ કંટ્રોલમાં રહે છે. 
 
* જો આંખમાં બળતરા રહેતી હોય તો રોજ સવારે તાજુ માખણ ખાવાથી આંખની બળતરા ઓછી થઈ જાય છે. 
 
* થોડાક અનાનસના ટુકડા લઈને તેના પર મરી અને બે ચમચી સાકરનો ભુક્કો ભભરાવી ખાવાથી ભુખ સારી લાગે છે. 
 
* જેમને શરીરમાં નબળાઇ હોય તેમને એક ગ્લાસ દૂધમાં એક ચમચી મધ નાંખીને સાંજે પીવાથી ફાયદો થાય છે. 
 
* એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી આદુનો રસ જમતાં પહેલા લેવાથી અજીર્ણ મટે છે. 
 
* દ્રાક્ષ પાંચથી છ નંગ અને બે ચમચી ધાણા રાત્રે પાણીમાં પલાળી રાખીને તેને સવારમાં લેવામાં આવે તો તેનાથી આધાશીશીનો દુ:ખાવો મટે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર