રંગો વિના સંસાર કેટલો સુનો, અદધુરો હોય છે તેની કલ્પના પણ ખુબ જ દુ:ખદાયક છે. જે પરમાત્માએ પ્રકૃતિમાં અગણિત રંગો પુર્યા તેને જ મનુષ્યને રંગોને જોવા માટે અને ઓળખવા માટે અગણિત આંખો આપી અને તેનાથી આનંદિત થઈ શકે તેવી ચેતના પણ પ્રદાન કરી. એ કહેવું મુશ્કેલ છે કે તેને વિવિધ રંગોને જોવા માટે આંખો આપી કે આંખોની રચના બાદ તેના રસ્તા મનને અવર્ણનીય સુખ પહોચાડવા માટે પ્રકૃતિમાં રંગ વેર્યા. આજકાલ સજાવટી કલર બનાવનાર કંપનીઓ અત્યાધુનિક કોમ્પ્યુટરના માધ્યમથી જેટલા રંગ અને શેડસ પોતાના ગ્રાહકને આપી રહી છે કે ભવિષ્યમાં આપશે તેનાથી લાખ ઘણાં લોભામણા કલર તે પરમાત્માએ પોતાની પીંછી દ્વારા પૃથ્વીના દરેક કણ કણમાં ભરી દિધા છે. સંસાર રચનારે કહ્યું કે માણસ ફૂલોમાં, પતંગિયામાં, મોરમાં, સૂરજ-ચંદ્રની સાથે સાથે ડગથી ડગ માંડીને ચાલતાં અને દરેક પળે ચહેરો બદલતાં આકાશના ચિત્તાકર્ષક રંગોમાં, ઈન્દ્રધનુષ્ય વગેરેમાં સૃષ્ટિની રચયિતાની સુંદરતાની ઝલક મેળવી શકે તેને સત્યં શિવં સુંદરમનું જ્ઞાન મેળવવાનો અવસર મળે.