વરુણ ગાંધીને ભડકાઉ ભાષણ કેસમાંથી રાહત મળી

મંગળવાર, 5 માર્ચ 2013 (17:13 IST)
P.R
બીજેપી સાંસદ વરુણ ગાંધીને મંગળવારે કોર્ટમાંથી મોટી રાહત મળી. જ્યા તેણે બરખેડા કેસમાં ભડકાઉ ભાષણ આપવા બાબતે કોર્ટમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો છે. અન્ય એક કેસમાં તેઓ પહેલા જ મુક્ત થઈ ગયા છે.

કોર્ટે પુરાવાના અભાવથી તેમણે કોર્ટમાંથી મુક્ત કરી દીધા છે. તેમને માટે આ ખુશીના સમાચાર છે. તેમણે એક કેસમાં મુક્ત કરી ચુકાયા છે. આ કેસ પણ ભડકાઉ ભાષણ બાબતે હતો. બરખેડા કેસમાં તેમણે મુક્ત કરવામાં આવ્યા છે.

ચાર વર્ષ પહેલા પીલીભીતના બરખેડામાં ભડકાઉ ભાષણ આપવા બાબતે પહેલા નિર્ણય એક માર્ચના રોજ આવવાનો હતો. 2009માં લોકસભા ચૂંટણી દરમિયાન તેમના પર ડાલગંજ અને બરખેડામાં ભડકાઉ ભાષણ આપવાનો આરોપ લાગ્યો હતો.

વરુણ વિરુદ્ધ બે જુદા જુદા કેસ નોંધાયા હતા. વિવાદ વધતા 28 માર્ચ 2009ના રોજ તેમણે પીલીભીત કોર્ટમાં સરેંડર કર્યુ હતુ. ડાલગંજના કેસમાં પીલીભીતની જિલા કોર્ટે વરુણને 27 ફેબ્રુઆરીના રોજ મુક્ત કરી ચુકી છે.

વેબદુનિયા પર વાંચો