ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લઈને બિહાર જેડીયૂ બે ભાગમાં વહેંચાય ગઈ છે. પોકારતી દેખાય છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કોઈપણ સ્થિતિમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સ્વીકારવા તૈયાર નથી પરંતુ તેમની પાર્ટીના એક સાંસદે જે તેમની વિરુદ્ધ બંડ પોકારીને મોદી વડાપ્રધાન બને એ માટે દિલ્હીમાં યજ્ઞ કરાવી રહ્યા છે. જેડીયૂના સાંસદ કેપ્ટન જયનારાયણ નિષાદના ઘરે ગુરૂવારથી મોદીને પીએમ બનાવવા માટે બે દિવસનો યજ્ઞ શરૂ થઈ રહ્યો છે.
ભાજપ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરવા ઈચ્છે છે. પરંતુ આ માટે અવરોધરૂપ છે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર. તેઓ કોઈપણ કિંમતે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે જોવા ઈચ્છતા નથી. તેમની પાર્ટીના તમામ સીનીયર નેતાઓ પણ નીતિશની સાથે જોવા મળે છે.
જ્યારે જેડીયુના સાંસદ જયનારાયણ નિષાદે નીતિશકુમારથી અલગ રહીને આ પ્રકારનો યજ્ઞ કરાવવાનો નિર્ણય કર્યો છે અને એ રીતે મોદીની તરફેણ કરી છે. આ અંગે ભાજપ નેતા મુખ્તાર અબ્બાસ નક્વીએ કહ્યુ હતુ કે આજે દેશના લોકોમાં ખૂબ ગુસ્સો છે. લોકો પરિવર્તન ઈચ્છે છે. યજ્ઞ-પૂજાનું આયોજન કોઈ કરે તો એમાં વાંધો શો છે?