પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે બિહારની 'સિલ્ક સિટી' ભાગલપુરમાં પરિવર્તન રેલીને સંબોધિત કરશે. તેમના આગમનને લઈને ભાગલપુરના હવાઈ મથક મેદાન પુર્ણ રીતે તૈયાર છે. આખા શહેરમાં સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. રેલીમાં ભાગ લેવા માટે લોકો સવારથી જ હવાઈમથક મેદાન પર પહોંચી રહ્યા છે. રેલીના સંયોજક અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શાહનવાજ હુસૈને રેલીમાં લાખો લોકો જોડાવવાનો દાવો પણ કર્યો છે. તેમણે કહ્યુ કે આ બિહારની અત્યાર સુધીની સૌથી મોટી રેલી હશ્સે. હવાઈમથક મેદાન પર બે મંચ બનાવવામાં આવ્યા છે.
શાહનવાજ મુજબ આ રેલીમાં ભાજપાના અનેક કેન્દ્રીય મંત્રી સહિત રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (રાજગ)ના મુખ્ય નેતા હાજર રહેશે. મોદીની આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા બિહારમાં મુજફ્ફરપુર, ગયા અને સહરસા પછી આ ચોથી પરિવર્તન રેલી રહેશે.
ભાગલપુરનું હવાઈમથક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિવર્તન રેલી માટે સજીને તૈયાર છે. ચુસ્ત સુરક્ષા વચ્ચે પ્રધાનમંત્રી મંગળવારે રેલીને સંબોધિત કરશે. તેઓ લગભગ દોઢ વાગ્યે અહી પહોંચશે અને એક કલાક સુધી રહેશે. વિધાનસભા ચૂંટણીને લઈને પ્રધાનમંત્રીની આ યાત્રા ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. તેઓ રેલીના મંચ પર બિહાર માટે અનેક મોટી જાહેરાતો કરી શકે છે.
આમ તો લોકોને અને સ્થાનીક ભાજપા નેતાઓને ડીઆરએમ કાર્યાલય, હવાઈ સેવા, એમ્સ, સિલ્ક ઉદ્યોગની જાહેરાતની આશા છે. મોટી યોજનાઓ માટે રકમ આપવાની શક્યતા બતાવાય રહી છે. એ પણ બતાવાય રહ્યુ છે કે રવિવારે પટનામાં થયેલ ગઠબંધનની રેલીનો જવાબ પણ પ્રધાનમંત્રી આ રેલીમાં આપશે. રેલીને ઐતિહાસિક બનાવવા માટે ભાજપાએ પુરી તાકત લગાવી છે. પૂર્વ બિહારમાં પ્રધાનમંત્રીની પ્રથમ રેલી છે.