DSP હત્યાકાંડ કેસમાં ચોંકાવનારા પ્રશ્નો

બુધવાર, 6 માર્ચ 2013 (12:09 IST)
P.R
કુંડામાં ઘટનાના ચાર દિવસ પછી પણ યૂપી પોલીસે એ ગોળી નથી શોધી શકી જેમાં ડીએસપી જિયા ઉલ હકની હત્યા થઈ. સરકાર કહી ર્હી છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ તેમને એક ગોળી વાગી, જ્યારે કે ડીએસપીની ડોક્ટર પત્નીનુ કહેવુ છે કે તેના પતિને ત્રણ ગોળીઓ વાગી. પ્રશ્ન હજુ પણ એ જ છે કે સાચુ કોણ છે ?

પોલીસન મુજબ ડીએસપી જિયા ઉલ હકે પોસ્ટમોર્ટમ રિપોર્ટની માને તો માત્ર એક ગોળી વાગી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ આ ગોળી તેમના પીઠમાં મારવામાં આવી. આ ગોળી શરીરના મહત્વપૂર્ણ અંગોને નુકશાન પહોંચાડતા શરીરના પાર નીકળી ગઈ. પોસ્ટમોર્ટમ દરમિયાન જિયા ઉલ હકના શરીરમાં એક પણ ગોળી નથી મળી. પોલીસને હવે ગોળીની શોધ છે. જેથી એ જાણ થઈ શકે છે છેવટે એ કયા હથિયારથી ચાલી.

હત્યાના ચાર દિવસ પછી પણ પોલીસની પાસે ફક્ત સવાલ છે. સવાલ છે કે છેવટે ડીએસપીની સર્વિસ પિસ્ટલ ક્યા છે. છેવટે તેમનો મોબાઈલ ફોન ક્યા છે. છેવટે તે ગોળી ક્યા છે જેનાથી ડીએસપી જિયા ઉલ હકે જીવ ગુમાવ્યો. ડોક્ટરી ભણી રહેલ જિયા ઉલ હકની પત્નીનું કહેવુ છે કે તેણે પોતાના પતિના શરીર પર ઘણી ગોળીઓના નિશાન જોયા છે. પરવીનના કહેવા મુજબ તેણે પોતાના પતિના છાતીના જમણા ભાગે પણ ગોળીઓના નિશાન જોયા. બે ઘૂંટ્ણ પર પણ ગોળીના નિશાન જોવા મળ્યા. પરવીનના મુજબ એક ગોળીએ તેમના લીવરને ઘાયલ કર્યુ હતુ. તેનુ કહેવુ છે કે તેણે તેના પતિના પેટ પર ગોળીનુ નિશાન નથી જોયુ, મતલબ પેંટ ઉતારીને ગોળી મારવામાં આવી છે. બેલ્ટ પણ ખુલ્લો જ હતો. તેના કહેવા મુજબ તેના પતિના માથા પર કોઈ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો.

ડીએસપી જિયા ઉલ હકની પત્ની ડોક્ટરીનો અભ્યાસ કરી રહી છે. પણ બની શકે કે તેની ધારણા ખોટી હોય. પણ આમ છતા પોલીસ આ કેસમાં અત્યાર સુધી જેવી કાર્યવાહી કરી રહ્યુ છે તે પ્રશ્નનાર્થક છે. સૂત્રોનુ માનીએ તો પોલીસને 30 બોરની પિસ્ટલની પણ તલાશ છે. આ બિનકાયદેસર પિસ્ટલ એક બાહુબલી નેતાના ખૂબ જ નિકટના એવા એક વ્યક્તિ પાસે હતી. પોલીસને સબૂત મળ્યા છે કે હત્યાકાંડમાં આ પિસ્ટલનો પણ ઉપયોગ થયો છે.

પણ પશ્ન એ છે કે જો ગોળી જ નથી મળી તો પિસ્ટલ શોધીને પોલીસ શુ કરશે. આ મામલે સાજિશ રચવાના આરોપી રાજા ભૈયા આ કેસને ખતમ થવા માટે પૂર્ણ આશાવાદી છે. કેસ ભલે સીબીઆઈની પાસે ગયો હોય પન કેવી રીતે આગળ જઈને અસલી અપરાધી બચે જશે, જેનો રાજા ભૈયા પાસે પૂર્ણ ઉપાયો છે. આ મામલે રાજા ભૈયાના સહયોગીઓનુ નામ આવ્યુ છે. જેમા રાજા ભૈયાનો ડ્રાઈવર ગુડ્ડુ સિંહ અને રાજા ભૈયાનો ગનર રોહિત સિંહનો સમાવેશ છે.

રાજા ભૈયાનો દાવો છે કે હત્યાકાંડના દિવસે રાત્રે લગભગ સાઢા દસ વાગ્યે ડ્રાઈવર ગુડ્ડુ સિંહ તેમની સાથે મુખ્યમંત્રી અખિલેશ યાદવના નિવાસ પર હતો. જેનો પુરાવો સહિત ખુદ મુખ્યમંત્રી અને ત્યાના સીસીટીવી કેમેરામાં છે. રાજાભૈયાનો બીજો દાવો છે કે તેમનો ગનર રોહિત સિંહ હત્યાકાંડ ના દિવસે લખનૌમાં હતો તેણે ત્યાંથી એટીએમમાંથી પૈસા પણ કાઢ્યા હતા. તેનો પણ પુરાવો એટીએમના સીસીટીવીમાં નોંધાયેલ છે. જો ગુડ્ડુ સિંહ મુખ્યમંત્રી નિવાસ સ્થાન પર હતો તો તેની ધરપકડ કેમ કરી. અને નીરજ સિંહ એટીએમ પરથી પૈસા કાઢી રહ્યો હતો તો તેની ધરપકડ કેમ કરી.

વેબદુનિયા પર વાંચો