વ્હાર્ટન ઈંડિયાએ મોદીનું ભાષણ સાંભળી લેવુ હતુ - થરુર

બુધવાર, 6 માર્ચ 2013 (13:17 IST)
P.R
પોતાના નિવેદનોને કારણે મોટાભાગે વિવાદમાં ફંસાયેલા રહેતા કેન્દ્રીયમંત્રી શશી થરૂરે આ વખતે ગુજરાતના મુખ્યમંત્રી મોદીને લઈને નિવેદન આપ્યુ છે. થરુરે કહ્યુ કે 'વ્હાર્ટન ઈંડિયા ઈકોનોમિક ફોરમે મોદીને આમંત્રિત કર્યા પછી તેમનું ભાષણ સાંભળવું જોઈતું હતું. શશી થરૂરે વ્હોર્ટન દ્વારા નરેન્દ્ર મોદીના ભાષણને રદ કરવાના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો.

કોંગ્રેસી નેતાઓ દ્વારા આ સમગ્ર અલગ દ્રષ્ટિકોણ રાખવામાં આવ્યા પછી થરૂરે સાવધાનીપૂર્વક પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ પોતાના પક્ષ કે સરકાર તરફથી આવું નથી કહી રહ્યા પણ આ તેમનું વ્યક્તિગત મંતવ્ય છે.

થરૂરે કહ્યું હતું કે મોદી સાથે હું દરેક સ્તર સંપૂર્ણપણે અસહમત રાખું છું પણ મને લાગે છે કે તેમનું નિમંત્રણ રદ કરીને તેમનો અવાજ દબાવવા કરતાં એ સારું છે કે તેમના વિચારો પર ચર્ચા કરવામાં આવે. તેમણે કહ્યું કે જો મોદીને આમંત્રિત કર્યા તો મોદીના વિચારોને સાંભળવા એ તેમનું કર્તવ્ય હતું.

વેબદુનિયા પર વાંચો