રાહુલ ગાંધીએ વ્હોર્ટનમાં ભાષણ માટેનું આમંત્રણ કેમ ન સ્વીકાર્યુ ?
મંગળવાર, 5 માર્ચ 2013 (15:55 IST)
:
P.R
હજુ ગઈકાલે જ જ્યા ગુજરાતના મુખ્યમંત્રીને આમંત્રણ પરત લઈ લીધુ એ અમેરિકન બિઝનેસ સ્કૂલ વ્હોર્ટનનું આમંત્રણ રાહુલ ગાંધીએ સ્વીકાર્યુ નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાહુલ ગાંધીને વ્હોર્ટન બિઝનેસ સ્કૂલના ઈકોનોમીક ફોરમમાં લેક્ચર આપવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું, જે માટે રાહુલ ગાંધીએ ઈનકાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે વ્હોર્ટન સ્કુલ તરફથી રાહુલ ગાંધીને આગામી 23 માર્ચે વીડિયો કોન્ફરન્સ દ્વારા લેક્ચરનું આમંત્રણ મળ્યું હતુ. આ ઉપરાંત મોદીનું ભાષણ રદ કરવામાં આવ્યુ પછી તેમના સ્થાને હવે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ભાષણ આપશે.
આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વ્હોર્ટન સ્કૂલ તરફથી કેજરીવાલને ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા આયોજીત કાર્યક્રમમાં સંબોધન માટે બોલાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ જ કાર્યક્રમમાં ભાષણ આપવાનું હતું પરંતુ વિરોધના કારણે તેમનું ભાષણ રદ કરવામાં આવ્યું હતું.
જેના કારણે નારાજ થયેલા શિવસેનાના નેતા સુરેશ પ્રભુએ કહ્યુ હતુ કે તેઓ વ્હોર્ટન સ્કૂલના કાર્યક્રમમાં નહીં જાય. અદાણી ગૃપે પણ કાર્યક્રમની સ્પોન્સરશીપ રદ કરવાનો નિર્ણય લઈ લીધો છે. આ ઉપરાંત મોદીનું ભાષણ રદ થવાથી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીએ પણ કાર્યક્રમમાં હાજરી આપવાનું ટાળ્યું છે.