રાજ ઠાકરેનું રાજનીતિક સ્ટંટ, કાર ખરીદીને આગ લગાવી

શનિવાર, 2 માર્ચ 2013 (15:21 IST)
.
P.R
રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને શરદ પવારની એનસીપીની વચ્ચે મહારાષ્ટ્રમાં થયેલ ઝડપથી જોડાયેલ કે સત્ય સામે આવ્યુ છે. મુંબઈ પોલીસમાં નોંધાયેલ એક એફઆઈઆરના મુજબ મનસે કાર્યકર્તાઓએ પોતાના નેતા રાજ ઠાકરેને ખુશ કરવા માટે 35000 રૂપિયામાં એક જૂની મારુતિ 800 ખરીદી અને તેમા આગ લગાવી દીધી. આવુ માત્ર તેમણે ચર્ચા મેળવવા કર્યુ. યોજનાબદ્ધ રીતે પૂરી પાડવામાં આવેલ આ ઘટના બુધવારે સેંટ્રલ મુંબઈના કુર્લામાં એલબીએસ માર્ગ પર થઈ. આ ઘટના પછી મનસેએ કહ્યુ કે રાજ ઠાકરેની કાર પર એનસીપી કાર્યકર્તાઓએ પત્થરમારો કર્યો પછી જનતાએ પોતાનો ગુસ્સો કારને સળગાવીને દર્શાવ્યો. પોલીસે કાર ફૂંકનારા મનસેના ચાર કાર્યકર્તાઓની ધરપકડ કરી લીધી છે.

આ ઘટના પછી એનસીપીએ કહ્યુ કે મનસેએ હિંસા સ્પોંસર કરવા ઉપરાંત રાજ ઠાકરેની કાર પર થયેલ પત્થરમારો પણ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટેની ઘટના હતી. થોડા દિવસ પહેલા ઘણા શહેરોમાં થયેલ હિંસા શુ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવર્નિમાણ સેનાની તરફથી સુનિયોજીત હતી અને શુ કાર્યકર્તાઓએ ફક્ત રાજ ઠાકરેને ખુશ કરવા માટે આ બધુ કર્યુ ? મુંબઈ પોલીસ દ્વારા નોંધાયેલ એફઆઈઆરમાં કહેવામાં આવ્યુ છે કે એમએનએસ કાર્યકર્તાઓએ 35 હજાર રૂપિયામાં એક જૂની મારૂતિ 800 ખરીદી અને કુર્લાના એલબીએસ માર્ગ પર તેને આગને હવાલે કરી દીધે. જો કે મનસેએ આ આરોપને ખોટો ગણાવ્યો છે.

વેબદુનિયા પર વાંચો