મહામંડલેશ્વરે પડકાર આપ્યો, વરસાદ ન કરાવી શક્યા તો દેશ છોડી દેશે !!

મંગળવાર, 19 એપ્રિલ 2016 (09:51 IST)
કાશીના સિદ્ધપીઠ હથિયારામ મઠના મહામંડલેશ્વર ભવાની નંદન યતિએ પડકાર આપ્યો છે. ગાજીપુરમાં મઠના બ્રાંચ હરિહરપુર કાલીધામ પહોચેલા મહામંડલેશ્વરે કહ્યુ કે જો હિન્દુસ્તાનમાં મારા જેવા મહાત્માઓની એક ટીમ બનાવવામા આવે અને હિન્દુસ્તાન સરકાર સમય પર વરસાદ કરાવવાની જવાબદારી સોંપે તો અમે આવુ કરી બતાવીશુ.  વરસાદ ન કરાવી શક્યા તો અમે દેશ છોડી દઈશુ. 
 
કાલીધામમાં ચાલી રહેલ મહાયજ્ઞમાં પહોંચેલા મહામંડલેશ્વરે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે અમારા મંત્રોમાં ઘણી તાકત છે. તેનો ગીતામાં ઉલ્લેખ છે. એવુ તો બની જ નથી શકતુ કે મારા યજ્ઞ પછી વરસાદ ન થાય. વરસાદન કરાવી શક્યો તો યજ્ઞ કર્મ છોડી દઈશ. 

વેબદુનિયા પર વાંચો