ફૈઝાબાદ એકસપ્રેસ પાટા પરથી ઉતરી

સોમવાર, 2 મે 2016 (00:40 IST)
ફૈઝાબાદ જઇ રહેલી ફૈઝાબાદ એકસપ્રેસ રવિવારે રાતે સાડા નવથી દસ વાગ્યાના અરસામાં રાત્રે ગઢમુક્તેશ્વર અને વ્રજઘાટ વચ્ચે પાટા પરથી ખડી પડી હતી. આ દુર્ઘટના બાદ રેલવે અધિકારીઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઇ હતી. તો બીજીતરફ આ દુઘર્ટના બાદ દિલ્હી અને મુરાબાદનો રેલવે માર્ગ ઠપ થઇ ગયો હતો. આ લખાઇ રહ્યું છે ત્યારે પોલીસકર્મીએ ડબ્બામાં ફસાયેલા લોકોને બહાર કાઢી રહ્યા છે. કેટલાક ઘાયલોને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી. પરંતુ 12 લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયાના અહેવાલ સાંપડ્યા છે.

વેબદુનિયા પર વાંચો