પ્રિસિપલે શાળાના પુરૂષ ટીચરને બાથરૂમમાં બંધ કરીને...

મંગળવાર, 28 મે 2013 (16:50 IST)
.
P.R
બિહારના પૂર્ણિયા જીલ્લામાં એક પ્રિસિંપલે પોતાની શાળાના શિક્ષકને જીવતા સળગાવી મારી નાખ્યા. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રિસિઅલ સંજય સિંહ અને ટીચર રંજીતની વચ્ચે કોઈવાતને લઈને વિવાદ થયો અને વાત એટલી વધી ગઈ કે સંજયે રંજીતને શાળાના બાથરૂમમાં બંધ કરી દીધા અને કેરોસિન નાખીને આગ લગાવી દીધી.

ગંભીરરૂપે ઘાયલ ટીચરને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સારવાર દરમિયાન સ્થિતિ બગડતા તેમને કટિહાર મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા જ્યા તેમનુ મોત થઈ ગયુ. ઘટના પછી પ્રિસિપલ ફરાર છે. હાલ પોલીસે કેસ નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે.

વેબદુનિયા પર વાંચો