જલંધરમાં સ્કૂલ બસ ટ્રક સાથે અથડાતા 11 બાળકોના મોત

સોમવાર, 4 માર્ચ 2013 (11:57 IST)
P.R
જલંધરમાં નકેદર વિસ્તારમાં આવેલા ઝહિર ગામે એક સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં બસમાં બેઠેલા 11 બાળકોના મોત નીપજ્યા છે. આ દર્દનાક અકસ્માત નકોદર નજીક થયો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર આ અકસ્માતમાં અન્ય અનેક બાળકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલો મળ્યા છે. જ્યારે સ્કૂલ બસના ડ્રાઈવરનું પણ મોત નીપજ્યું છે.

પોલીસ અધિકારી રાજેન્દ્રસિંહે જણાવ્યુ હતુ કે સાત બાળકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા અને ચાર બાળકોના હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બસ નકોદર તરફ જઈ રહી હતી. ઘાયલોને નકોદર અને જલંધરની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દરમ્યાન બે બાળકોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી તેઓને લુધિયાણાની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો